પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના | Pm Internship Scheme [2024]

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના | Pm Internship Scheme [2024]

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ભારતના યુવાનોને દેશની અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની એક અદ્ભુત તક પૂરી પાડે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને વ્યાવસાયિક અનુભવ આપવાનો અને તેમને રોજગારી માટે તૈયાર કરવાનો છે.

આ આર્ટીકલમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના

આ વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના" ની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) યુવાનોને ભારતની 500 અગ્રણી કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશિપની તક આપે છે. આ યોજના તેમને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરીને તેમની રોજગારની સંભાવનાઓને મજબૂત બનાવે છે. સમગ્ર અરજી પ્રક્રિયા ઓનલાઈન છે, અને પાત્ર ઉમેદવારોને માસિક નાણાકીય સહાય પણ પ્રાપ્ત થશે. આ ઈન્ટર્નશીપમાં તેમને આઈટી, બેંકિંગ, હેલ્થકેર સહિત અનેક ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ખાસ કરીને બેરોજગારો માટે શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે, જેમાં દેશના 10 લાખ યુવાનોને આગામી 5 વર્ષમાં 500 અગ્રણી કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશિપની તક મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને વાસ્તવિક કાર્ય વાતાવરણમાં વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી તેઓ નવા કૌશલ્યો શીખી શકે અને ભવિષ્યમાં રોજગારીની તકો મેળવી શકે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • અનુભવ: વાસ્તવિક કાર્યક્ષેત્રનો અનુભવ મળે છે.
  • કૌશલ્ય: વિવિધ કૌશલ્યો વિકસાવવા મળે છે.
  • નેટવર્ક: નવા લોકો સાથે જોડાવાની તક મળે છે.
  • ભવિષ્ય: કરિયર પસંદગીમાં મદદ મળે છે.
  • આત્મવિશ્વાસ: પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ વધે છે.
  • સ્વતંત્રતા: સ્વતંત્ર રીતે કામ કરવાનું શીખવા મળે છે.
  • સ્ટાઇપેન્ડ: દર મહિને નિશ્ચિત રકમનું સ્ટાઇપેન્ડ મળે છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ:

આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.4500 તથા કંપની દ્વારા રૂ.500 માસિક સહાય મળશે. સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.6000 નું આકસ્મિક અનુદાન તથા સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધાકાર્ડ
  2. રહેઠાણનો પુરાવો
  3. માર્કશીટ
  4. જન્મ પ્રમાણપત્ર
  5. પાન કાર્ડ (જો હોય તો)
  6. પાસપોર્ટ સાઈઝ નો ફોટો

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

શૈક્ષણિક લાયકાત:

  • ધોરણ 10, 12 પાસ
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • આઈટીઆઈ કે ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓ

ઉંમર:

  • સામાન્ય રીતે 21 થી 24 વર્ષની વચ્ચેના યુવાનો

નોકરી/અભ્યાસ:

  • ફુલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી:

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના 2024 માટે અરજી કરવા માટે ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે.
  1. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જાઓ.
  2. નોંધણી લિંક પર ક્લિક કરો, અને એક નવું પૃષ્ઠ ખુલશે.
  3. નોંધણી વિગતો ભરો અને સબમિટ પર ક્લિક કરો.
  4. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોર્ટલ દ્વારા બાયોડેટા જનરેટ કરવામાં આવશે.
  5. પસંદગીઓ- સ્થાન, ક્ષેત્ર, કાર્યાત્મક ભૂમિકા અને લાયકાતોના આધારે 5 સુધી ઇન્ટર્નશિપ તકો માટે અરજી કરો.
  6. એકવાર અરજી થઈ જાય ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અને Pdf ડાઉનલોડ કરો.
  7. Pdf download કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ શકો છો.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ/વેબસાઈટ:

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ : https://pminternship.mca.gov.in
આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 1800116090

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માહિતી પોસ્ટર/ Photos:

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના | Pm Internship Scheme [2024] પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના | Pm Internship Scheme [2024] પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના | Pm Internship Scheme [2024]

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અરજી પત્રક Download:

આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો:

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના :

પ્રશ્ન-1 : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શું છે?

જવાબ : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા લાયક ઉમેદવારોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડતી યોજના

પ્રશ્ન-2 : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ : 10 નવેમ્બર 2024

પ્રશ્ન-3 : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : સતાવાર વેબસાઈટ : https://pminternship.mca.gov.in

પ્રશ્ન-4 : પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માં પગાર/સ્ટાઇપેન્ડ શું છે?

જવાબ : ઉમેદવારોને ભારત સરકાર દ્વારા 4500 રૂપિયાની માસિક સહાય મળશે જ્યારે રૂ. 500 ઉદ્યોગ દ્વારા આપવામાં આવશે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.